આપણને ભણાવવામાં આવે છે ,સમજાવવામાં આવે છે, સુધરવામાં આવે છે, પણ અફસોસ એ વાતનો છે કે આપણે માનવજાતિને આપણે એની મરજી મુજબ જીવવાનો શિખવાડી શક્તા નથી, કોઇ ઘરની અંદર કામ કરવા આવનાર વ્યક્તિ પણ પોતાની શરતો અને નિયમો નક્કી કરીને કામ પર આવવાની હામી ભરે છે.. તો આપણે આપણી લાગણીઓ,ઇચ્છાઓ ,તૃપ્તિઓ,શરીરની કેટલીક મુળભૂત જરૂરિયાતોને લોકો સમક્ષ રજુ કરવાનો મિથ્યા શોભ કેમ રાખીએ છીએ ?
કોઇ ગેઝેટની જેટલી ક્ષમતા હોઇ કશુંક સ્ટોર કરવા માટેની પણ એનો અર્થ એવો જરાય નથી કે એને આપણે નકામી બાબતોના થરથી ભરી નાખીએ.
આપણે નાનપણ જાતિય વૃતિને અને જાતિય જરૂરિયાતોને એક જુદી નજરથી જોઈએ છીએ..એને સમજવું અને સમજાવું એ બહુ દુર રહી પણ આપણે એના વિચારોને પણ દબાવીને આપણા અજાગૃત મનમાં ધકેલી દઈએ છીએ..મનોવિજ્ઞાનની વિધ્યાર્થી છું એટલે આ વાત સાથે બહુ જલ્દી રીલેટ કરી શકુ કે માણસના વર્તનમાં આવેલો બદલાવ એ તેનું વ્યક્તિત્વ નહિં પણ એ રોગના લક્ષણો છે..આપણા દંભી સમાજની આ બહુ મોટી ખાસિયત છે કે એ તમને ભુલ કરતાં રોકશે નહી,પણ ભુલ કર્યા પછી જો તમે કાનુનની ઝપટમાં હશો તો તે તમને લુખ્ખી સહાનુભુતિ આપવા જરુર પહોચી જશે (અલબત ગુનો બહુ મોટો નહી હોય તો)
અને તમારી અંદર ચાલી રહેલા યુધ્ધને ઠારવા કે તમને ટેકો આપવા મિટિંગ થાય કે નહી પણ બિમારી વશ થયેલી તમારી ભુલનો ઢંઢેરો પિટવા લોકો એકઠાં જરુર થઈ જશે..
આ આખી નવલકથા એક સબડકે પુરી કરી મારો આખો રવિવાર રળિયામણો થઈ ગયો અને ફરી ફરીને મને ગૌરવ છે કે માનવની આ વૃતિ અને પ્રકૃતિને સમજવા માટેની તક બહુ પહેલા મને મનોવિજ્ઞાનની વિધ્યાર્થી બનીને મળી હતી અને આજે ફરી એ વાત પર રાજીપો થાય છે કે આપણે આસપાસ હજુ પણ એવાં લોકો છે કે સિગ્મંડ ફ્રોઇડની જેમ ઇડિપસ અને ઇલેક્ટ્રા ગ્રંથિ વિશે, જાતિય ક્રીડઓ વિશે અને આપણી જરૂરીયાતો વિશે આટલું સમજે છે..ડૉ.નિમિત ઓઝા અને ડૉ.કેયુર પરમાર અને બીજા ઘણા લોકો પોતાના લેખન અને પોતાના તબીબી જ્ઞાનને લઈને ખુબ સારો પ્રયાસ કરી રહ્યા આપણી માનવ પેઢીને મઠરાવાની બદલે એને જીવવાનો અધિકાર આપીએ નહી તો એ દિવસની શક્યતાઓ જરુર છે કે જ્યાં કોરોના પોઝિટિવના ઢગલાંની જેમ માનસિક સ્વાસ્થ્ય નેગેટિવના ટેસ્ટ પૂર ઝોરમાં થતાં હશે અને એ પોઝિટીવ આવશે તો સમાજ માટે ઘણુ દુ:ખદાયક હશે.

આ કથામાં મને સ્પર્શી ગયેલા કેટલાક વાક્યો..
“આપણે એ વાત ભુલી જઈએ છીએ કે નગ્નતા પ્રકૃતિની દેન છે.એ માણસે નથી બનાવેલી,એ ઇશ્વરે આપેલી છે.માણસ તો કાયમ નગ્નતાને ઢાંક તો આવ્યો છે, કારણ કે ઇશ્વરે આપેલી નગ્નતા મનુષ્યને મંજુર નથી.બીજા દરેક પ્રાણીઓએ જેનો સહર્ષ સ્વીકાર કર્યો છે,એ નગ્નતા સ્વીકારવામાં મનુષ્ય જાતિને પોતાની નજર નડે છે.કપડાંની શોધ એટલા માટે નહોતી થઈ કારક કે નગ્નતા ખરાબ છે,કપડાંની શોધ એટલા માટે થયેલી કારણ કે આપણી નજર ખરાબ છે.”
“પોતાની નજરને ઢાંકવાને બદલે મનુષ્ય આજ સુધી નગ્નતાને ઢાંકતો આવ્યો છે.”
“સમાજે લાદેલા નિયંત્રણોમાંથી છટકલો માણસ,કેટલો બધો અપ્રિય બની જતો હોય છે નહીં?”
“સિક્નેસ અને ઇલનેસમાં જો તમે તફાવત ન સમજી શકતા હો,તો એ તમારો પ્રોબ્લેમ છે.”
“કોઇનો અસ્વીકાર કરવો,એનો અર્થ એ નથી કે એનો તિરસ્કાર કરવો.”
“પુરુષનો શ્રેષ્ઠ મિત્ર અને સૌથી મોટો દુશ્મન એટલે ટેસ્ટોસ્ટેરોન.”
“એ વાત કેટલાક લોકોને ક્યારેય નહી સમજાય કે પ્રેમ વગરનો સ્પર્શ અનુભવ આપી શકે,અનુભૂતિ નહિં.”
“સત્યની પ્રતીતિ શબ્દો કરતાં પરિસ્થિતિ હમેશાં વધારે સારી રીતે કરાવે છે.”
“સ્પર્શ-ભુખ્યો અને પ્રેમ-ભુખ્યો દરેક માણસ અંતે તો નિરાંતની શોધમાં જ નિકળતો હોય છે.”
“પુરુષ બહુ જલ્દી તૃપ્ત થઈ જનારો જીવ છે,એની જરુરીયાતો બહુ લિમિટેડ હોય છે,એટ ધ એન્ડ ઓફ ધ ડે ,એક પુરુષને જોઇએ છે શું ? બે ટંકનું ભરપેટ જમવાનું ,પૈસા કમાઇ શકાઇ તેવી નોકરી, ફ્રસ્ટેશન કાઢવા ગાળો બોલી શકાય તેવા બે મિત્રો,જીવતા રહેવા માટે સ્વાસ્થ્યને હાનિકારક હોય તેવુ કોઇ એક વ્યસન,વ્હિસ્કીના બે પેગ અને એક મસ્ત ઓર્ગેઝમ.”
“દીકરીના ખોળામાં માથું મુકવાથી જીવન મળતું હોય છે,મૃત્યુ નહીં.”
_પપ્પાની ગર્લફ્રેન્ડનો એક પ્રતિભાવ
પાત્રો :
સંવેદના અને સિધ્ધિથી ભરપૂર પિતા _ વિનાયક સાહેબ
દિકરી તરીકે લાગણીઓની અને સમાજની ઘટમાળમાં ઝઝૂમતી _ અમૃતા
એક યોગ્ય પુરુષ,પુત્ર,પતિ,પિતા અને જમાઇને છાજે એવું વ્યક્તિત્વ _ અભિનવ
સમાજના સંકુચિત તાણાવાણાથી ક્યાંય દુર એક ઊચ્ચ દ્રષ્ટિ રાખનાર એક પાત્ર _ સીમી
આ નવલકથા એટલે વૃતિ,પ્રકૃતિ અને સંસ્કૃતિની વચ્ચે સતત સંઘર્ષ કરતાં પુરુષની કથા.
આ પુસ્તક વાંચવા માટે ભાવનગર વાસી બુક્પ્રથામાં નિરજભાઈ મેઘાણીનો સંપર્ક કરી શકે અને ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
https://www.bookpratha.com/book/Pappa-Ni-Girlfriend-Gujarati-Book/158300
_હિરલ જગડ 🥰



























