“શું કહું તમને મારું તો કઈ ધાર્યું થતું જ નથી.”
“મારા પ્લાન પર હમેશની જેમ આજે પણ પાણી ફર્યું.”
“આપણે વિચારેલું ક્યાં બધું થાય છે.”

આવા ઘણા બધા વાક્યો આપણા રૂટિનમાં આપણે વાગોળતા હોઈએ છીએ. આપણે વિચારેલું અને ધારેલું હંમેશા થાય જ એવું જરૂરી તો નથી અને ન થાય તો હંમેશાં નેગેટિવ જ થાય એવું જરૂરી નથી.
मन की हो तो अच्छा । ना हो तो और भी अच्छा ।।
આ વાત અને વાક્યને સાર્થક કર્યું છે…મહારાષ્ટ્રના નાનકડા ગામમાં રહેતા રણજીસિંહ ડીસૈલ એ…જેમણે હાલમાં જ ગ્લોબલ ટીચર પ્રાઇઝના વિજેતા બન્યા છે…કે જેને નોબેલ પ્રાઈઝ ઓફ ટિચિંગ પણ કહેવાય છે.. પ્રાઈઝની રકમ અધધધ..૧૦ મિલિયન ડોલર એટલે કે ૭.૫ કરોડ રૂપિયા છે…૨૦૧૫થી શરુ થયેલ આ પ્રતિયોગિતામાં દુનિયાના જુદા જુદા દેશોના હજારો લોકો બહોળી સંખ્યામાં ભાગ લે છે…જેમાં રણજીસિંહ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે…૨૦૨૦માં આ પ્રતિયોગિતા કુલ ૧૨૦૦૦ લોકોએ ૧૪૦ દેશોમાંથી ભાગ લીધો હતો… રણજીસિંહ એ પોતાને મળેલ પ્રાઇઝની અડધી રકમ ૧૦ ફાઈનલિસ્ટમાં વહેંચી દીધી અને બાકીની રકમ આવા જ કોઈ શૈક્ષણિક કાર્યમાં વાપરશે.

વાત મહત્વની અને અગત્યની તો છે કેમ કે એક શિક્ષકના કાર્યની વધામણી થઈ છે.. તેમણે કરેલા એક પ્રયાસને પ્રબલન મળ્યું છે. આ ઉપરાંત પણ રણજીતસિંહ ને ઘણા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
ઇજનેર બનવા નીકળેલો એક યુવાન સંજોગોવસાત શિક્ષક બને છે અને તે માત્ર શિક્ષક નહિ પણ અદભૂત શિક્ષક તરીકે પોતાની કારકિર્દીને ઉજ્જવળ કરે છે. આપણે ઇરછેલું અને વિચારેલું ન થાય ત્યારે આવું પણ કંઇક લખાયેલું હોય શકે. વાત હકારાત્મક તાની છે.. વાત કામ પ્રત્યેની ધગશની છે.
ગામડા ગામ સુધી ટેક્નોલોજીને લઇ જવી..બાળ લગ્ન થતા અટકાવવા…શિક્ષણનું સ્તર વધારવું..અને બીજું ઘણું બધું.. આ બધું એવું કામ છે જેનાથી સમાજનું ઘડતર અને મૂલ્યોનું ચણતર થાય છે. નવી પેઢી વિકસે છે..ખીલે છે..ઊગે છે…તેને જ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા ઊભી થાય છે..વિજ્ઞાનના પ્રયોગો તેને આકર્ષે છે..ગણિતના દાખલા તેને પઝલ જેવા લાગે છે…ભણતરનું નામ પડતાં તેનું મોઢું ચૂરમાનો લાડવો જોયો હોય તેમ મલકાય છે.
આ બધું ત્યારે થઈ શકે જ્યારે યોગ્ય માહોલ અને યોગ્ય શિક્ષક હોય..એક શિક્ષક આખી દુનિયા ન બદલી શકે પરંતુ એક આખી પેઢીનો દ્રષ્ટિકોણ જરૂર બદલી શકે અને આ દ્રષ્ટિકોણથી આખી દુનિયા જરૂર બદલાઈ શકે.
માત્ર બી.એડ઼. કરી લેવું અને TAT કે TET પાસ કરી લેવું અને સરકારી નોકરીમાં ગોઠવાય જવું એ શિક્ષકનો ધ્યેય ન હોય શકે..શિક્ષકનો ધ્યેય આવો કંઇક હોવો જોઈએ અને સારા ધ્યેયધારી વ્યક્તિને કામ કરવા મળે તેવું વાતાવરણ હોવું ઘટે..તેવી સિસ્ટમ અને ચેનલ હોવી જ જોઇએ.
દુનિયાના અનગનિત શિક્ષકોનો આભાર અને વંદન તેમના કાર્યને.. રણજીસિંહને તેના પરિવારને અભિનંદન..આવા શિક્ષકો વિકસતા રહે તેવી અભિલાષા
ધારેલું કામ ન થાય તો જે કામ કરી રહ્યા છો તેમાં તમારી આવડતની ધાર કાઢી નાખો તો કામ આસાન અને તમે હળવાં ફૂલ થઇ જશો…પછી ચીન જાપાન કે મલેશિયા બધું રૂડું રૂપાળું જ લાગશે.
~ Hiral Jagad
Counseling Psychologist




















