લગ્ન બાદ કન્યા વિદાય થાય અને કન્યા વરપક્ષની થાય..આ એક દિવસ માટે દીકરીનો બાપ વર્ષોથી જીણવટ પૂર્વક હિંમત ભેગી કરીને સમાજની સામે બધાની વચ્ચે રડવાનું સાહસ કરે છે.
કાળજા કેરો કટકો મારો..
બાબુલ કી દુઆ એ લેતી જાં..
બેના રે…સાસરિયે…
દિલ બરો..
આવા અઢળક ગીતો કવિતા વાર્તાઓને આપણા સાહિત્યમાં સ્થાન મળ્યું છે અને સાથે સાથે આપણા ફિલ્મી અને ફિલ્મી બનાવવા માંગતા વાસ્તવિક વિશ્વમાં પણ પગપેસારો કર્યો છે.

આપણને નવવધુની..અને તેના દરેક સ્નેહીજનોની મનો સ્થિતિ દેખાઈ છે..જતાવાય છે..રજૂ થાય છે..પણ કયાંક એ નવપરિણીતના ચહેરાના ભાવો પર આપણું ઝરાક જેટલું પણ ધ્યાન જતું નથી..
પુરુષ જે નવો નવો પરણ્યો છે તે કેવા કેવા ભાવો અનુભવતો હશે ?
એક સ્ત્રી પરણીને પોતાનું ઘર છોડીને જાય છે તો સાથે સાથે પુરુષ એક જવાબદારી અને એક આશાને વરે છે કે તેના જીવનને સવલત ભર્યું અને ખુશનુમા રાખશે..તે જે નવા સ્થળે તેણી જઈ રહી છે તેને ઘર આપણે સાથે મળીને બનાવીશું આ એક વચન મનોમન તે તેની અર્ધાગીનીને આપે તેની પેહલા તે પોતાનામાં અને એલફેલ ચાલતી દિનચર્યામાં ફેરફાર આદરી દે છે.
એક ભય તેને પણ હશે કે વર્ષોથી એક સ્ત્રીના વાત્સલ્યની છાયામાં પોતે ઉછર્યો છે તે હવે તેની પ્રિયતમાના વ્હાલના વરસાદમાં ભીંજાવાનો છે..આ બંન્ને સ્ત્રીની અગત્યતા એક સરખી રીતે છે તેમને બંનેને આ લાગણીનો અનુભવ કરાવી શકીશ ?

એક પિતા એ તેનો કાળજાનો કટકો મને એક વિશ્વાસ અને શ્રધ્ધા પૂર્વક આપ્યો છે તેને હું મારા કાળજામાં હંમેશ માટે મીઠું મીઠું મલકાતું અને આનંદથી છલકાતું ને ધબકતું રાખી શકીશ..??
તે ઉત્સાહ અને ઉમંગથી પણ ગદગદતો હશે..જેના વિશે બહુ ચર્ચાઓ કરી કે વાતો સાંભળી તે જાતિય સુખ તેને મળશે…પણ પોતાના પુરુષત્વ ની સાબિતી થશે કે કેમ તે ચિંતાના વમળોમાં પણ આળોટતો હશે.
આના સિવાયના પણ ઘણાં આવેશો અને આવેગો ઉમટતાં હશે જ..
આપણે લગ્નપ્રસંગને વ્યવહારુ અને સામાજીક બનાવવામાં વધુ પડતો ઔપચારિક બનાવી દિધો છે..સારી પરિસ્થિતિને પ્રદશિત કરવામાં મન: સ્થતિ પરનું ધ્યાન સંકુચિત થઈ ગયું છે.
~હિરલ જગડ _હીર 🍁





બની શકે તેને પણ તેના સ્થાનથી અસંતોષ હોઈ..એવી કેટલીક જગ્યા પર તેને રહેવું વ્યર્થ લાગતું હશે કે જ્યાં માત્ર તેને સુવ્યવસ્થિત રીતે ક્કવારી પ્રમાણે ગોઠવી દેવામાં આવે છે કે પછી માત્ર શોભાના ગાંઠિયાની માફક મૂકી દેવામાં આવે છે..વળી તેને તેનુ દુઃખ પણ થતું હશે.. ગુસ્સો પણ ભારોભાર આવતો હશે…પરંતુ મનુષ્યની માફક તે રડી નહિ શકતું હોઈ..ત્યજી નહિ શકતું હોઈ..કે સ્થાન છોડીને ભાગી નહિ શકતું હોઈ..કે આપઘાત પણ નહિ કરી શકતું હોઈ..પણ કદાચ..ક્યારેક તેણે એવું કર્યું હશે કે…ઝાકળની આડમાં ચૂપચાપ તેને તેની ભીનાશ, તેની વેદનાઓને પાનાંઓની વચ્ચે ઓરી દીધી હશે…! જેમ આપણે ઓશીકાં માં આંસુ રેડીએ છીએ તેમ..!ક્યારેક પુસ્તકને કાળજીનો અહેસાસ થતો હશે ને..મીઠુંમીઠું લાગ્યું હશે..જ્યારે તેના ફાટેલા પાનાંઓને કોઈ સેલોટેપની મદદથી સાંધવાનો પર્યાસ કર્યો હશે ત્યારે અદલ આપણા શારીરિક માનસિક ઘા પર કોઈ મરહમ લગાવાતું હોઈ તેવું જ એને પણ લાગતું હશે..અને તેના મુખપૃષ્ઠ પર મિઠાશ અને ઊર્જા આવી જતી હશે…!તેને આ બધા ભાવોની સાથે કદાચ આજે સૌથી મોટો ભાવ અનુભવતો હશે…એ છે.. અવગણનાનો જે માણસ માટે પણ અસહ્ય છે..આપણી ઝરા જેટલી અવગણના થાય તો આપણે રઘવાયા થઈ જઈએ છીએ..ઝઘડી પડીએ..કે પછી રિસાઈ જઈએ….પણ પુસ્તક ક્યારેય રઘવાયું થતું નથી.. રીસાતું પણ નથી..ઝઘડવા આવતું નથી..
માની લઈએ કે તેને આ બધું થતું હોય આ બધું તે કરતું હોય તો પણ..
(10-06-2019)


